ENG સામે ટેસ્ટ ટીમમાથી વિરાટ કોહલી થયો બહાર , જાણો કારણ

By: nationgujarat
22 Jan, 2024

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. એટલે કે તે પ્રથમ બે મેચ રમશે નહીં. ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ જાણકારી આપી છે.

BCCIએ કહ્યું, ‘વિરાટ કોહલીએ BCCIને અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી જવા વિનંતી કરી છે. વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી છે. કોહલીએ એ વાત પર ભાર મૂક્યો છે કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા તેમની ટોચની પ્રાથમિકતા રહી છે.

ભારતીય બોર્ડે વધુમાં કહ્યું, ‘BCCI તેમના નિર્ણયનું સન્માન કરે છે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે સ્ટાર બેટ્સમેનને તેમનો ટેકો આપ્યો છે અને બાકીની ટીમ તરફથી ટેસ્ટ શ્રેણીમાં પ્રશંસનીય પ્રદર્શન કરવાનો સંપૂર્ણ વિશ્વાસ છે.પોતાના નિવેદનમાં કહ્યું, ‘BCCI મીડિયા અને પ્રશંસકોને વિનંતી કરે છે કે વિરાટ કોહલીની ગોપનીયતાનું સન્માન કરે અને તેના અંગત કારણોના પ્રકાર પર અનુમાન ન લગાવે. આગામી ટેસ્ટ શ્રેણીમાં ખેલાડીઓના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિરાટના રિપ્લેસમેન્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી રમાશે. આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ, હૈદરાબાદ ખાતે રમાશે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ટીમની કપ્તાની રોહિત શર્મા કરશે.


Related Posts

Load more